This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Sunday 25 August 2019

gujarati filmo ni gaikal part 3

http://www.gujaratifilm.co.in/



ગુજરાતી ફિલ્મોની ગઈકાલ – (ભાગ ) 

પ્રભુભક્તિ અને સતી પિંગળાનો પતિપ્રેમની વાર્તા રાજા ભરથરીફિલ્મ ભર્તુહરિ અને ગોરખની આસપાસ આકાર લે છે. પિંગળાના પ્રેમમાં ડૂબેલા રાજા ભર્તુહરિને ભગવાનની ભક્તિ કરવા અને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુવચનને આધીન સંત ગોરખ પોતાના અથાગ પ્રયત્નો બાદ વિજય મેળવી અને રાજા ભર્તુહરિને સંત ભર્તુહરિ બનાવવામાં સફળ થાય છે. આ ફિલ્મમાં સતીની શક્તિનું પણ દર્શન થાય છે. ગોરખના ઘણા પ્રયત્નો સામે રાજા ભર્તુહરિ રાજપાઠ છોડી પ્રભુભક્તિ કરવા તૈયાર થઇ જાય છે.
અરવિંદ ત્રિવેદી ગોરખના રૂપમાં પડછંદ પાત્ર તરીકે ઉભરી આવે છે. મોહમાયામાં અટવાતા રાજા ભર્તુહરિના પાત્રને ઉપેન્દ્ર ત્રિવેદીએ ન્યાય આપ્યો છે. સ્નેહલતા પિંગળાના પાત્રમાં પોતાના અભિનય અને પાત્રના વજનના કારણે સમગ્ર ફિલ્મમાં છવાઈ ગયા છે. જયશ્રી ટી. નું નાનું એવું પણ અસરકારક પાત્ર ફિલ્મમાં જરૂરી ભાગ ભજવે છે. સાથેસાથે દ્વિઅર્થી સંવાદ સાથે રમેશ મહેતા વારંવાર ફિલ્મમાં દર્શન આપે છે.
સુમન કલ્યાણપુર, આશા ભોંસલે, ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર દ્વારા ગવાયેલા ગીતો અને અવિનાશ વ્યાસનું સંગીત આજે પણ આપણા વડીલો હોંશે હોંશે સાંભળે છે. આમાં ઉચ્ચ કોટીનું ગીત અને સંગીત ઉભયનો સમન્વય અહીં જોવા મળે છે.
અસરકારક સંવાદોમાં રાણી પિંગળા ભર્તુહરિને કહે છે કે તમારું સાનિધ્ય એ જ મારા શ્વાસોછ્શ્વાસ છે.અને એમના જ મોઢે રાજા ભર્તુહરિ માટે બેટાશબ્દ પણ બોલાય છે. આમ ફિલ્મમાં પરિવર્તન સાથે સંવાદોમાં નાવીન્ય જોવા મળે છે. ફિલ્મમાં વેશભૂષા ખૂબ સરસ છે. જયારે કેમેરાવર્કમાં ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે. ટાંચા સાધનો વડે પણ પ્રતાપ દવેએ કેમેરા દ્વારા સારૂ ફિલ્માંકન કર્યું છે. કીર્તિ કલામંદિરનું રાજા ભરથરીનું દિગ્દર્શન રવીન્દ્ર દવેએ બખૂબીથી નિભાવ્યું છે.
આ દાયકામાં રાજા ભરથરીની સાથે સાથે બીજી ઘણી સારી ફિલ્મો બની. તેમજ ગુજરાતી સિનેમાનો સારો એવો વિકાસ થયો. "૧૯૭૫ થી મનોરંજન કરમુક્તિની નીતિથી ગુજરાતમાં લશ્મી લેબોરેટરીઝ
એન્ડ સ્ટુડીઓ’, ‘વૃંદાવન સ્ટુડીઓઅને લકી સ્ટુડીઓએમ ત્રણ સ્ટુડીઓ કામ કરતા થયા”.
નિર્માતા ટી.જે.પટેલ અને રવીન્દ્ર દવેના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ કુંવરબાઈનું મામેરૂનરસિંહ મહેતાની કૃષ્ણભક્તિની વાર્તા છે. જે પ્રભુભક્તિ દ્વારા એક ભક્તનું પ્રભુ સાથેનું અદભુત મિલન દર્શાવે છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં ભક્ત નરસૈયાની પુત્રી કુંવરબાઈના લગ્નના પ્રસંગનું વર્ણન છે. જેમાં ભક્ત નરસૈયાની વારે ભગવાન પોતે આવે છે. નરસિંહ ભક્ત હરિજનો પ્રત્યે કુણી લાગણી ધરાવે છે અને નગરજનોના ત્રાસથી કંટાળ્યા વગર પ્રભુભક્તિમાં લીન રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને પરચા આપી હંમેશા તેની સાથે રહે છે.
નરસૈયાના પાત્રમાં અરવિંદ ત્રિવેદીએ જીવ રેડી દીધો છે. તેમના કુટુંબના પાત્રો અસરકારક અભિનય દ્વારા ફિલ્મમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. અવિનાશ વ્યાસનું સંગીત અને આજે પણ ન ભૂલાય એવા ગીતો ફિલ્મને સફળતા તરફ દોરી જાય છે. વૈષ્ણવ જન..... અને પ્રગટો..... તેમજ આજની ઘડી તે રળિયામણી..... લોકમુખે આજે પણ સાંભળવા મળે છે.
નરસૈયા દ્વારા બોલાયેલા અસરકારક સંવાદો જેમ કે નરસિંહ ભગત તેમની પત્નીને સંબોધીને તમે તો મારૂ અડધું અંગ, અંગ ખોટું હોય તો લકવો થાય,” અને ભગતની પત્ની દ્વારા બોલાયેલા શબ્દો જે પુત્રને સમજાવતા કહે છે કે તારા તો બાપુ, પણ આ ખોળીયાના તો પ્રાણઘણું બધું કહી જાય છે. ફિલ્મમાં વેશભૂષા અને વિવિધ સ્થળોને કેમેરામાં સરસ રીતે કંડારવામાં આવ્યા છે. આ ફિલ્મ મૂળ તો લોકકથા અને લોકસાહિત્ય પર આધારિત છે. આ ફિલ્મમાં ભક્ત નરસૈયાના જીવનની કુંવરબાઈના મામેરાની ઘટનાને ખૂબ જ રસપ્રદ રીતે ફિલ્માંકન કરવામાં આવી છે. ૧૯૫૨ માં બનેલી અને અરવિંદ પંડ્યા અભિનીત ભક્ત નરસૈયોપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.
જૂની ફિલ્મોમાં ચોયણી, પાઘડી કે ઓવર એક્ટિંગના અતિરેકથી આજનો વર્ગ ગુજરાતી ફિલ્મોમાં રસ ધરાવતો નથી. પરંતુ એ સમયમાં પણ શહેરીકરણ અને ત્યાના દુષણોનું ફિલ્માંકન અને નીતિ મુલ્યોવાળી ફિલ્મો રજૂઆત પામતી. આ જ દિશામાં પ્રયત્નોના ભાગરૂપે તારીખ ૧૧ થી ૧૬ જુન ૨૦૦૭ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાતી ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતેના ફિલ્મોત્સવમાં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ચલચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. જેમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.આમ, વર્ષો પછી પણ જોવાનું મન થાય એવી ફિલ્મોનું નિર્માણ થતું હતું. એ સમય પણ પરિવર્તનનો હતો અને આજનો સમય પણ પરિવર્તનનો છે. છતાં પણ સ્વચ્છ મનોરંજન મળે એવી ફિલ્મો બનવાની શરૂઆત વર્ષો પહેલા થઇ ગઈ હતી કે જેમાં એક ગર્ભિત સંદેશો પણ સમાયેલો હોય.
કાંતિ મડિયા દિગ્દર્શિત કાશીનો દીકરોશ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ કથા વિનોદિની નીલકંઠ, શ્રેષ્ઠ પટકથા પ્રબોધ જોશી, શ્રેષ્ઠ ગીત બાલમુકુન્દ દવે, શ્રેષ્ઠ અભિનેત્રી રીટા ભાદુરી જેવા એવોર્ડથી સન્માનિત થઇ હતી. ફિલ્મની વાર્તા કાશી નામના પાત્રની આસપાસ ફરે છે. કાશી પોતાના દિયરને પોતાના સગા દીકરાની જેમ ઉછેરે છે. ભાભી મટીને માતાની જેમ ઉછેરેલા દિયરના લગ્ન પણ કરાવે છે. કરુણાંતિકા ત્યારે સર્જાય છે જયારે લગ્ન પછી તરત જ સર્પદંશથી તેના દીકરા જેવા દિયરનું મૃત્યુ થાય છે. તેના વિરહમાં તે પોતાના પતિથી પણ અળગી રહેવા લાગે છે. તે પોતાના પતિની જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે. આમ કરવા જતા પોતાના પતિ દ્વારા જ દેરાણી ગર્ભવતી બની જાય છે. સમય અને સંજોગો સમજીને પાપ છુપાવવા માટે કાશી પોતે જ ગર્ભવતી હોય એવું નાટક કરે છે. આમ દુનિયાથી છુપાવી દેરાણીની કુખે જન્મેલું બાળક કાશીનું બાળક છે એવું સૌ કોઈ માને છે અને તે બાળક કાશીનો દીકરોતરીકે ઓળખાય છે.
ફિલ્મમાં હોટેલમાં વાગતા હિન્દી ગીતો, પ્રસુતિ માટે દર્શાવાતી અમદાવાદની હોસ્પિટલ, વેશભૂષા અને સંવાદ દ્વારા શહેરીકરણની ઝલક જોવા મળે છે. ભગાનામનું પાત્ર કે જે રમૂજી વાક્યો અને પરિસ્થિતિ ઉભી કરે છે. તેને વડોદરા નોકરી કરવા જતું બતાવવામાં આવે છે. શરૂઆતમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે. ત્યારબાદ ધીરે ધીરે તેમાં ફિલ્મની વાર્તાનું જે હાર્દ છે તેમાં કેન્દ્રિત થાય છે. ફિલ્મના ગીતો ધીરગંભીર અને શાંત ઢાળવાળા છે. ગીત અને સંગીતમાં ક્ષેમુ દિવેટિયા, અભિનયમાં રાજીવ, રાગીણી અને રીટા ભાદુરી પોતાના પાત્રોને જીવંત બનાવે છે. ફિલ્મમાં રહેલું અંબાલાલનું પાત્ર નવો વળાંક સર્જે છે. સીનેમેટોગ્રાફીમાં અદભુત દ્રષ્ટિ જોવા મળે છે. ફિલ્મના પાત્રો સંવાદ કરતા હાવભાવ અને કેમેરાના એન્ગલથી વાર્તાને પડદા પર દર્શાવવામાં સફળ રહે છે.
દર્શકો પાસે તાળીઓ વગાડવાનો બોજો. કલાની હત્યા કરે છે. કલાકારે દર્શકની મૌન પ્રશંસા મેળવવામાં સંતોષ શોધવો જોઈએ.જૂની ફિલ્મોનું કથાનક સાહિત્ય, ભવાઈ અને સત્યઘટના પરથી આવતું હતું. જેમાં અભિનય આપતા અભિનેતા અને અભિનેત્રીઓ પાત્રને ન્યાય આપવામાં ક્યારેક સમર્થ તો ક્યારેક ઓવર એક્ટિંગ સાથે ફિલ્મની મજા બગાડી નાખતા હતા. ફિલ્મોનું સંગીત આજના સમયમાં સાંભળવા ન મળે એટલું કર્ણપ્રિય તેમજ આજે પણ લોકમુખેથી સાંભળવા મળે એટલું સુંદર હતું. ટેકનોલોજીમાં આપણે હજુ હરણફાળ ભરી ન હતી. પરંતુ, દિગ્દર્શકના મગજમાં રહેલી ફિલ્મ પડદા પર જોવા મળતી. એ પણ સારી માવજત સાથે. સંવાદો અને બિનજરૂરી પરિસ્થિતિને બાદ કરતા ગુજરાતી ફિલ્મો સતત નવું કરવા પ્રયત્નશીલ રહેતી હતી. બીજા વિશ્વયુદ્ધના કારણે આ દાયકાના પ્રથમ ચાર વર્ષ મહદઅંશે ફિલ્મ વગરના બની રહ્યા.એટલે કે ૧૯૪૬ થી ૧૯૫૦ સુધીમાં ગુજરાતી ફિલ્મોદ્યોગમાં નવા સર્જકો અને કલાકારોનો પ્રવેશ થયો. ગુણસુંદરીઅને રાણકદેવીદ્વારા અત્યંત સફળ અને લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસ જેવા સર્જકનો પ્રવેશ થયો. આ દશકમાં ગુજરાતી સિનેમાના પાયા મજબુત કરે એવી ઘણી નવી પ્રતિભાઓ ફિલ્મક્ષેત્રમાં આવી. સમય જતા ફિલ્મોદ્યોગની હાલત થોડી બગડી અને આ અરસામાં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ફિલ્મોદ્યોગને ટકાવી રાખવાની નીતિનું ઘડતર થયું. ૧૯૬૫ માં છબીકાર બીપીન ગજ્જરની સહાયથી મનહર રસકપૂરે મહેંદી રંગ લાગ્યોફિલ્મ બનાવી. જેમાં હિન્દી ચિત્રોના જાણીતા કલાકારો રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે અભિનય આપ્યો. અવિનાશ વ્યાસ રચિત ગીત સંગીતને જબરદસ્ત સફળતા સાંપડી.


સીને રિપોર્ટર ગજ્જર નીલેશ


Montu ni bittu

http://www.gujaratifilm.co.in/

Montu ni bittu 

Sunday 18 August 2019

Nijanshee babaria

http://www.gujaratifilm.co.in/

Nijanshee babaria

Friday 16 August 2019

Kutumb

http://www.gujaratifilm.co.in/

Kutumb

Wednesday 7 August 2019

gujarati filmo ni gaikal part 2

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ – (ભાગ – ૨)
          


         “માનવીની આંખ કરતા કેમેરાનો લેન્સ તદ્દન જુદી રીતે દ્રશ્ય જુએ છે. એટલું જ નહિ, માણસની આંખ જેટલી ઝડપથી એ ફોકસ (focus) બદલી શકતો નથી. દ્રષ્ટિકોણ (Angle) પકડતો નથી. તેમજ બદલાતી કે જુદા પ્રકારની પ્રકાશની સ્થિતિને અનુકુળ થઇ શકતો નથી. દ્રશ્ય ઝડપતી વખતે આ બધી પરિસ્થિતિઓને ખ્યાલમાં રાખી કેમેરાનો ઉચિત લેન્સ ગોઠવી અકુદરતી ન લાગે એ રીતે ફિલ્મકાર વાસ્તવિકતા પકડતો હોય છે. ટૂંકમાં તસ્વીર દ્વારા ઝીલાતી વાસ્તવિકતા માનવીની આંખ દ્વારા સમજાતી વાસ્તવિકતા કરતા નિરાળી છે.” ફિલ્મમાં સીનેમેટોગ્રાફીની વાત કરીએ તો ધૂપ છાંવ વધારે જોવા મળે છે. છાણથી લીપેલી ઘરની દીવાલો, ગામડાની શેરીઓ, ચા નાસ્તા માટેની ગામડાની હોટેલ, વાસ્તવિક લગતી ખેતરની ધૂળમાં થતો ઝગડો અને પાણી ભરતી પનીહારીઓને સરસ રીતે કચકડે કંડારવામાં આવી છે. એક ગીતમાં પ્રભાસ પાટણ, દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર જેવા જુદાજુદા દ્રશ્યો ઉમેરવાથી વિવિધતા જોવા મળે છે અને તેના માટે થયેલી મહેનત દેખાઈ આવે છે.
          સ્વ. પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં મલકચંદ નામના વાણીયાથી ગર્ભવતી બનેલી વિધવાની વાત છે. તે નહિ, પરણવાનો નિર્ણય કરે છે અને પોતાના દીકરાને હિંમતપૂર્વક સંઘર્ષ વેઠીને મોટો કરે છે. સામાજિક સંજોગોમાં ફસાતી અને આત્મગૌરવ સાચવવા મથતી ભારતની નારીનું અહીં ખૂબ સંવેદનશીલ ચિત્રણ થયું છે. સામાન્ય રીતિ રીવાજો અને બંધન સામે લડતી વિધવા સ્ત્રી એક બહુ મોટી પ્રેરણા પૂરી પાડે છે. સંજોગો સામે ટકતા અને લડતા શીખવે છે. આ ફિલ્મને શિકાગો આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રત્યેક ફિલ્મની નવી વાર્તા, માવજત અને કર્ણપ્રિય સંગીતથી ગુજરાતી સિનેમાને નવી ઓળખ મળી. સાહિત્યકૃતિ અને દંતકથાઓ પર આધારિત ફિલ્મો ભવની ભવાઈ, જન્મટીપ, ભાદર તારા વહેતા પાણી, રાજા ભરથરી, હરિશ્ચંદ્ર, અમર પ્રેમી શેણી વિજાણંદ, શેતલના કાંઠે, હોથલ પદમણી, કાશીનો દીકરો, લાખો ફુલાણી, મેરૂ મૂળાદે, કુળવધુ, દાદા હો દીકરી વગેરે જેવી અનેક ફિલ્મોએ લોકોને આકર્ષિત કર્યા અને સફળતા પ્રાપ્ત કરી.
          “ભવની ભવાઈ” વાર્તા ખૂબ સુંદર છે. અસ્પૃશ્યતાના વિષયને રજૂ કરતી આ ફિલ્મમાં ચક્રસેન રાજાને સંતાન ન હોવાના કારણે ગોરમહારાજના કહેવાથી નીચા વરણને એક વાવ ખોદવાનું કહેવામાં આવે છે અને આ નીચા વરણના એક ઘરમાં પોતાનો સગો દીકરો હોય તે રાજાને ખબર નથી હોતી, રાજાની બે રાણીઓમાંથી એક ઈર્ષાળુ રાણીના કારણે આ રાજકુંવરને જન્મતાવેત રાજાની જાણ બહાર મારી નાખવાનો હુકમ થતા, સૈનિકો તેને મારવા માટે લઇ જાય છે અને કુમળા બાળકને જોઈ મારવાને બદલે તેને પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે. આ રાજકુંવર માલા ઢેઢના હાથમાં આવે છે અને પતિ પત્ની બંને તેને ઉછેરીને મોટો કરે છે. આ રાજકુંવર એટલે જીવો. હવે જયારે રાજના બ્રાહ્મણ સાથેના ઝઘડામાં પેલા બે સૈનિકો જીવાને પકડે છે અને ઝપાઝપીમાં પગમાનું લાખુ આ સૈનિકો ઓળખી જતા સાબિત થાય છે કે આ ચક્રસેન મહારાજનો પુત્ર છે. આ જાણ રાજાના નજીકના માણસ ભગલાને કરવા જતા રાણીના માણસો પણ તે વાત જાણી જાય છે અને રાણી ફરી અધૂરું કામ પૂરું કરવા એક નવું કારસ્તાન રચે છે. રાજગોરના મુખેથી રાજાને એ વાત કહેવડાવે છે કે વાંઝીયામેણું ટાળવા વાવમાં પાણી આવવું જોઈએ. તે માટે બત્રીસ લક્ષણા યુવાનનો ભોગ આપવો પડશે અને એ યુવાન જીવો છે. જેના માટે રાજા હુકમ ફરમાવે છે અને ફિલ્મના અંત સાથે જીવાની બલી ચઢાવવામાં આવે છે. મુર્ખ રાજા દ્વારા પ્રજા પર થતી જોહુકમી, નીચા વરણની તકલીફો અને અંધશ્રદ્ધામાં વિંટળાયેલી આ વાર્તા ઘણું બધું કહી જાય છે. ફિલ્મમાં ઉજમ (સ્મિતા પાટીલ) જીવાને પ્રેમ કરે છે અને જીવો (મોહન ગોખલે) પણ ઉજમને પ્રેમ કરે છે. જયારે રાજાનો આદેશ આવે છે ત્યારે ઉજમ હિંમતપૂર્વક જીવાને સમજાવે છે અને પોતાની કોમના ભલા માટેની શરતો રાજા સમક્ષ મુકવા જણાવે છે. આમ એક રાહબરની જેમ તે સતત જીવાની પડખે ઉભી રહે છે. ફિલ્મનો અંત ખૂબ જ કરુણ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મની મૂળ વાર્તામાં એક પાત્ર દ્વારા તેના પૌત્રને આ વાર્તા સંભળાવતો બતાવવામાં આવે છે. જે અછૂત હોવાના કારણે ઘણી તકલીફો ભોગવતો દર્શાવવામાં આવે છે.
          “ભારતમાં દલિતોની સમસ્યાઓ અને પરંપરાગત રૂઢિઓને ઉજાગર કરતી આ ફિલ્મ ‘અછુતોનો વંશ’ નામના ભવાઈ વેશમાંથી સીનેકૃતિમાં ઢળાઈ છે. અછુતો અને સંવર્ણો વચ્ચેની સંઘર્ષ કથામાં રાજકીય વ્યંગ રાખીને સામાજિક રૂઢિઓ પર પ્રશ્ન કરાય છે.” ફિલ્મના અંતે કેતન મહેતા આ સંદર્ભમાં અમુક આંકડા દર્શાવે છે તે આઘાતજનક છે. જેમાં નીચલા વરણને અન્યાય થયો હોય તેવું બતાવવામાં આવે છે અને તેમના પર થયેલા હુમલાની સંખ્યા દર્શાવવામાં આવે છે.
          રાજાના પાત્રમાં નસીરુદ્દીન શાહનો અભિનય સરસ છે. દ્વિઅર્થી સંવાદના બદલે અભિનયથી રાજાનું આ પાત્ર પેટ પકડીને હસાવે છે. રાજાની ચાલ, તેના નિર્ણયો, યુદ્ધનીતિ, પ્રજા પર અત્યાચાર વગેરે બાબતોથી અલગ જ વાતાવરણ તૈયાર થાય છે. દુબળો પાતળો લાગતો જીવો નિસ્વાર્થ ભાવે પોતાના જીવના જોખમે રાજાની સામે પોતાના સમાજના લોકો માટે સારૂ કરવાની તૈયારી બતાવે છે અને તેને મરવાની બીક પણ છે. આ બંને ભાવ અભિનેતા મોહન ગોખલે ખૂબ સારી રીતે પડદા પર નિભાવી જાણે છે. જાજરમાન અભિનેત્રી સ્મિતા પાટીલનો અભિનય ખૂબ સરસ છે. ફિલ્મમાં દરેક પાત્ર બંધબેસતું છે. ભલે એ જીવલાનો બાપ માલો (ઓમપુરી) હોય કે રાજાના બંને સૈનિકો, નકારાત્મક પાત્રમાં રાણી, રાજાનો સિપાહી, નગરશેઠ કે બ્રાહ્મણ હોય. રજવાડા અને નીચા વરણને અનુકુળ ભાષા અને સંવાદો સારી રીતે જુદા પડતા સાંભળવા મળે છે. નિર્માતા અને દિગ્દર્શક કેતન મહેતાએ આ ફિલ્મની વાર્તા મુજબ કેમેરાને ચોક્કસ જગ્યાએ હલનચલન આપ્યું છે. તેમના મનમાં રહેલા એન્ગલ પડદા ઉપર જોતા સરસ લાગે છે અને એક અસરકારક વાતાવરણ ઉભું કરવા સક્ષમ રહ્યા છે.

          નોંધ
          ઘણી ફિલ્મોની માહિતી એકથી થઈને આપણી સમક્ષ તે ફિલ્મો વિષે હું ઘણા સમયથી લખી રહ્યો છું. જેથી ગુજરાતી ફિલ્મો વિષે આપનું જ્ઞાન વધે અને લોકોને પણ ખ્યાલ આવે કે જૂની ફિલ્મો પણ એટલી જ મનોરંજક હતી જેટલી આજે છે. જેમ આજની ફિલ્મોમાં બોલીવૂડના કલાકારો પ્રવેશ કરી રહ્યા છે તેમ જૂની ફિલ્મોમાં પણ બોલીવૂડના નામાંકિત કલાકારોએ અભિનય આપ્યો હતો. પરંતુ એક મૂંઝવણ હું આપ સૌની સાથે વહેચવા માગુ છું અથવા એમ કહું કે આપના મદદની અપેક્ષા માટે જ લખી રહ્યો છું. જૂની અમુક ફિલ્મો વિશેની માહિતી કોઈ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ માધ્યમ દ્વારા મને ઉપલબ્ધ થતી નથી. ઉપરાંત જે મહાનુભાવોએ તે ફિલ્મો બનાવી છે તેમના વિષે મને ખ્યાલ છે. પરંતુ તેઓ તેમની ફિલ્મોની કોઈ વિગત જણાવવા સંમત નથી. જેથી આપ સૌને મારી નમ્ર અપીલ છે કે એના પાસેથી તેમની ફિલ્મોની માહિતી મેળવવા મને મદદ કરશો. આભાર
ક્રમશઃ


          સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

Monday 5 August 2019

Gujarati filmo ni gaikal part 1

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

ભારતમાં સિનેમાની શરૂઆત થઇ ત્યારપછીના થોડા જ વર્ષોમાં ગુજરાતી ફિલ્મનિર્માણનું કાર્ય શરુ થયું. શરૂઆતમાં કલાકારોએ મોટાભાગે રંગભૂમિના કલાકારો હતા. ગુજરાતની પ્રજા વેપારી માનસ ધરાવતી હોઈ વચ્ચે ધીરે ધીરે સિનેમા કલાનો પણ વિકાસ થયો હતો. લકમાધ્યમ બનેલા સિનેમાની નીતિ, મુલ્યો, માનસિકતા, વિચારો બદલાતા ગયા અને તેમાંથી જ ગુજરાતી ફિલ્મોની સફળતા, નિષ્ફળતા અને અવદશાના પરિબળો મળી આવ્યા. ગુજરાતની સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને સંગીતની સ્પષ્ટપણે અસર ગુજરાતી ફિલ્મોમાં દેખાય છે. અખંડ ગુજરાતની પરિસ્થિતિ જોવી હોય તો જૂની ગુજરાતી ફિલ્મો જોવી, જેમાં જે તે સમયની માનસિકતા, રીતી રીવાજો અને મુલ્યોની ઝાંખી જોવા મળે છે. આમ સિનેમા જે તે સમયનું પ્રતિબિંબ પાડે છે. ભૂતકાળમાં સિનેમામાં ગુજરાતીઓએ જે ફાળો આપ્યો તે નોંધનીય છે. ઘણા લોકોની મહેનત અને લગન ૯ મી એપ્રિલ ૧૯૩૨ ના રોજ સફળ થઇ. આ દિવસે નાનુભાઈ વકીલે પ્રથમ સળંગ પૂરા કદની ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતારજૂ કરીને ઈતિહાસ સર્જ્યો. ત્યારબાદ ગુણસુંદરી, પૃથ્વી વલ્લભ, સુરતનો શાહુકાર, પાવાગઢનું પતન વગેરે જેવી ઘણી ફિલ્મો આવી. જેમાં ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું દર્શન થયું.
શરૂઆતનો દોર કંઇક એવો હતો કે ફિલ્મનિર્માણના દરેક પાસામાં નવું નવું જોવા મળતું. એટલા માટે નહિ કે નવી શોધ થઇ હતી. પરંતુ ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા લોકો ધીરે ધીરે શોધતા હતા. ફિલ્મ જગતના પિતામહ દાદાસાહેબ ફાળકેએ જે જહેમત ઉઠાવી હતી. તેના કારની કામ ઘણું સરળ બની ગયું હતું. પરંતુ, શરૂઆત તો હંમેશા કઠીન જ હોય છે. આમ ગુજરાતી ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા લોકો કંઇકને કંઇક નવીનતા સાથે ફિલ્મોની રજૂઆત કરતા હતા. ૧૯૪૬ પછીની આવેલી ફિલ્મોમાં કુંવરબાઈનું મામેરૂ, ભાભીના હેત, ભાઈ બહેન, મીરાબાઈ, જેસલ તોરલ, કરિયાવર વગેરે જેવી ફિલ્મોએ ખૂબ જ સફળતા મેળવી. 
૧૯૧૭ થી ૧૯૨૫ ના ભારતીય ચલચિત્ર ઉદ્યોગના દાદાસાહેબ ફાળકે સહીત કુલ ૭ ભારતીય ફિલ્મ કંપનીમાંની ૫ ગુજરાતી હતી. ત્યારબાદ ૧૯૩૧ સુધીમાં તો ગુજરાતી ફિલ્મનિર્માણ સંસ્થાની સંખ્યા ૨૧ થવા જાય છે. જેના દ્વારા ૧૯૨૫ થી ૧૯૩૨ ના ટૂંકાગાળામાં ૮૭ મૂક ફિલ્મોનું નિર્માણ થયું હતું. આમ ૧૯૧૭ થી ૧૯૩૧ સુધી મૂક ચલચિત્રોનો યુગ રહ્યો. આ સમય દરમિયાન ગુજરાતી મૂક ફિલ્મો નવા નવા વિષયો સાથે રજૂઆત પામી. આ યાદીમાં કટોરો ભર ખૂન (પ્રથમ ગુજરાતી સામાજિક ફિલ્મ), ભક્ત વિદુર (પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ), કાળો નાગ (પ્રથમ ગુજરાતી રહસ્ય ફિલ્મ), કન્યા વિક્રય (પ્રથમ ગુજરાતી કુરિવાજ પરની ફિલ્મ), અછૂત (પ્રથમ ગુજરાતી અસ્પૃશ્યતા નિવારણ પરની ફિલ્મ) નો સમાવેશ થાય છે. ગુજરાતી ફિલ્મોની ગઈકાલમાં દીના ગાંધી, મનહર દેસાઈ, કમલેશ ઠાકર જેવા કલાકારો તથા અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, છગનલાલ ઠાકર જેવા ગાયક અને સંગીતકારોનો મોટો ફાળો છે. ગુજરાતી ફિલ્મોની ગઈકાલમાં ફિલ્મનિર્માણના નવતર પ્રયોગો સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આગળ આવ્યો.
ફિલ્મ લીલુડી ધરતીના નિર્માતા સુરેશ અમીન અને વલ્લભ ચોકસી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ડેઇઝી ઈરાની, મહેશ દેસાઈ, કલા શાહનો અભિનય છે. કથાનકની દ્રષ્ટીએ ચુનીલાલ મડિયા અને પટકથામાં મનુ દેસાઈ દ્વારા સરસ રજૂઆત કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા વાંઝીયામેણું ટાળવા ગામના મોભીના પત્ની બા સાહેબબીજાના પુત્રને કપટથી પોતાનો દીકરો બનાવે છે. યુવાન થતા એ સપૂત, કપૂત બની અને નાયિકા સંતુ સાથે અભદ્ર વ્યવહાર કરે છે. જયારે સામે નાયિકા પણ ઉણી ઉતરે તેમ નથી અને તેનો જડબાતોડ જવાબ આપે છે. ફિલ્મના હીરો ગોબરનું સગપણ પહેલેથી જ સંતુ સાથે થઇ ગયું હોય છે. જૂની પ્રથા પ્રમાણે સમય આવતા સંતુ પરણીને ગોબરની અર્ધાંગીની બને છે. પતિ પત્નીનો શુદ્ધ પ્રેમ ઘણા દ્રશ્યોમાં જોવા મળે છે. છતાં ખરાબ સંવાદ કે દ્રશ્ય નથી ઉપસતું. સંતુ અને ગોબરના આ ખોબા જેવડા ગામમાં ઊંચનીચના ભેદભાવ જોવા મળે છે. જુના કુરિવાજો, ભુવા ભરડી, શૌર્યનું પ્રતિક એવા ગાડાની દોડ અને શાહુકારોની મોટરગાડી, સાઇકલ અને હોકી સ્ટીક આ ફિલ્મમાં જોવા મળે છે. સંતુના છણકા અને તેના રૂપ પાછળ ગાંડો સાદુર તેને બદનામ કરવાના બધા કાવતરા કરે છે. કપટથી ગોબરનું મૃત્યુ થતા સંતુની હાલત કફોડી થાય છે. તેના પેટમાં ગોબરની નિશાની હોય તેને પણ બીજાનું પાપ ગણવામાં આવે છે. ઘણી આંટી ઘૂંટીવાળી આ ફિલ્મમાં વાર્તા એક જગ્યાએ કેન્દ્રિત ન રહેતા થોડી થોડી વારે ફરતી રહે છે.
અભિનયમાં સંતુનું પાત્ર ખૂબ જ મજબુત છે. એક દ્રશ્યમાં જયારે સંતુ સાદુરને હોકી મારીને હોકી પોતાની સાથે લઇ આવે છે અને અરવિંદ ત્રિવેદી અભિનીત પાત્ર તે હોકી પરત કરવા દબાણ કરે છે. ત્યારે સંતુના મોઢે બોલાયેલો સંવાદ બેડું તો બૈરાના હાથે શોભે અને લાકડી ભાયડાના હાથમાંતેઓ બોડી લેન્ગવેજમાં એક પ્રતીકારકતા પ્રગટે છે અને અવાજમાં હિંમત દર્શાવે છે. ફિલ્મમાં કરુણતા ત્યારે સર્જાય છે જયારે સંતુ, ગોબરના બાળકની માં બનવાની હોય છે. જયારે આ વાતની કોઈને જાણ હોતી નથી. પરંતુ ગોબરનું મૃત્યુ થતા સંતુના બધા અરમાન અધૂરા રહી જાય છે. ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીનું પાત્ર નાટકીય રીતે પહેલા ગોબરને મરતો બચાવતું બતાવવામાં આવે છે અને બાદમાં તેના કારણે જ ગોબરનું મૃત્યુ થાય છે. અરવિંદ ત્રિવેદીનો અભિનય ખૂબ સરસ છે. તે ખરાબ સંગતથી દૂર થઇ અને ગોબરને બચાવે છે. ફરી સ્ત્રીને પામવાની અદમ્ય ઈચ્છાને પડદા પર સરસ રીતે રજૂ કરી છે. તે ગોબરના મૃત્યુનું કારણ બને છે. સાદુરના પાત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદીની બાપુવાળી છટા જોવા મળે છે અને એક ખલનાયકના પાત્ર રૂપે પડદા પર દાદાગીરી કરતા જોવા મળે છે. ફિલ્મના પાત્રોમાં દરેક અભિનેતા અને અભિનેત્રી ન્યાય આપે છે. જયારે આ વાર્તાના તાણાવાણામાં પરોવાયેલી પરિસ્થિતિ ક્યારેક ખુશ તો ક્યારેક નિરાશ કરે છે. હે ઢોલ ઢમક્યા.....અને ચલ મન દૂર દૂર તીરથધામ.....ગીતો ખૂબ સરસ રીતે ગવાયા છે. ગીતોમાં અવિનાશ વ્યાસ અને સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય તેમજ ગૌરાંગ વ્યાસનું યોગદાન નોંધનીય છે. ભારતીય સંસ્કૃતિ અને લોકસંગીતનો સમન્વય સાધવામાં તેઓ સફળ રહ્યા છે. સંવાદમાં જીતુભાઈ મહેતાએ તળપદા શબ્દોનો ભરપુર ઉપયોગ કર્યો છે. પ્રસગોપાત બોલાયેલા સંવાદ થકી પ્રેમ, ક્રોધ અને રમૂજ પડદા ઉપર સ્પષ્ટપણે દેખાય આવે છે. હાલ્યું સે (ચાલ્યું છે), પવિતર સુ (પવિત્ર છું), ગોઠતું નથી (ગમતું નથી) અને કહેવતોમાં પારકો ઉંબરો લીપવાનો’ (જયારે સાસરે જવાનું થાય તે સંદર્ભમાં), તેમજ કેટલીક ગાળો પણ ફિલ્મમાં સાંભળવા મળે છે.
ક્રમશઃ

સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document